જોટાણા ગામમાં વિદ્યાર્થીઓનું સાયકો મેટ્રિક ટેસ્ટ લેવાયો
MEHSANA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
જોટાણા ગામમાં વિદ્યાર્થીઓનું સાયકો મેટ્રિક ટેસ્ટ લેવાયો
જોટાણા તાલુકામાં હંમેશા સેવા માટે અગ્રેસર સેવાભાવી સંસ્થા સદગુરુ ફાઉન્ડેશન જોટાણા અને શ્રી જોટાણા કેળવણી મંડળ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પોતાની યોગ્ય કેરિયર પસંદ કરી શકે અને જીવનમાં આગળ વધી શકે તે માટે સાયકો મેટ્રિક કેરિયર ગાઈડન્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જોટાણા અને જોટાણા તાલુકાના 50થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો પરીક્ષા આપ્યા બાદ સાયકો મેટ્રિક નિષ્ણાત શ્રી નીતિનભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત કાઉન્સિલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ દરમિયાન સદગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જયેશભાઈ પ્રજાપતિ અને શ્રી એમ.એમ પંડ્યા સાહેબ પ્રમુખ શ્રી જોટાણા કેળવણી મંડળ તેમજ સદગુરુ ફાઉન્ડેશન સેવકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.