Sunday, May 31, 2026
Join our
WhatsApp Channel
Home
About Us
E-Paper
Education Ambassador
Community
Services
Contact Us
BREAKING NEWS
Politics
Sports
Entertainment
Business
Technology
Health
Education
Lifestyle
Opinion
Crime
World News
Science
Environment
Finance
Startups
Real Estate
Travel
Food & Dining
Fashion
Culture
Art
Music
Movies & TV
Gaming
Automotive
Jobs & Careers
Personal Finance
Parenting
Religion & Faith
Weather
Finance News
Latest News
કૃષિ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની કેશરગંજની બે દિવસીય મુલાકાત: પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને ગ્રામોત્થાનનો આપશે પ્રેરક સંદેશકેશરગંજમાં ખેડૂતના ઘરે રાત્રિભોજન, ગ્રામજનો સાથે લોકસંવાદ અને પ્રાકૃતિક ખેતી મહાસભાને કરશે સંબોધન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની કેશરગંજની બે દિવસીય મુલાકાત: પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને ગ્રામોત્થાનનો આપશે પ્રેરક સંદેશકેશરગંજમાં ખેડૂતના ઘરે રાત્રિભોજન, ગ્રામજનો સાથે લોકસંવાદ અને પ્રાકૃતિક ખેતી મહાસભાને કરશે સંબોધનહિંમતનગર, તા. ૩૧ મે, ૨૦૨૬ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આગામી તા. ૧ અને ૨ જૂન, ૨૦૨૬ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામની બે દિવસીય મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ પ્રગતિશીલ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધશે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે તેમજ ગ્રામોત્થાન અને સ્વચ્છતાનો સંદેશ આપશે.મુલાકાતના પ્રથમ દિવસે તા. ૧ જૂને સાંજે કેશરગંજ ખાતે રાજ્યપાલશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેમને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત કેશરગંજ ગૌચર ખાતે વૃક્ષારોપણ કરશે. ગામના મુખ્ય ચોક ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગ્રામજનોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપશે.સાદગી અને ગ્રામજીવન પ્રત્યેની આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડતા રાજ્યપાલશ્રી ગામના એક સ્થાનિક ખેડૂતના નિવાસસ્થાને રાત્રિભોજન લેશે. ત્યારબાદ કેશરગંજ સમાજવાડી ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજી પ્રત્યક્ષ લોકસંવાદ કરશે. રાજ્યપાલશ્રીનો રાત્રિ મુકામ પણ કેશરગંજની સ્થાનિક પ્રાથમિક શાળામાં રહેશે.તા. ૨ જૂને સવારે રાજ્યપાલશ્રી સમાજવાડી ખાતે યોગ અને વ્યાયામ કાર્યક્રમમાં ભાગ લઈ દિવસની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ સ્થાનિક પશુપાલકના ઘરે જઈ સ્વહસ્તે ગો-દોહન કરી ભારતીય સંસ્કૃતિ અને પશુપાલનના મહત્વનો સંદેશ આપશે. ઉપરાંત, એક પ્રગતિશીલ ખેડૂતના આદર્શ મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેતીની વિવિધ પદ્ધતિઓનું નિરીક્ષણ કરશે તેમજ ખેતરમાં હળ જોતવા જેવી કૃષિ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવશે.રાજ્યપાલશ્રીની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરવાનો, કૃષિ ક્ષેત્રે નવીનતા અને પરંપરાગત જ્ઞાનના સમન્વયને પ્રોત્સાહન આપવાનો તેમજ ગ્રામ્ય વિકાસના મોડેલને મજબૂત બનાવવાનો છે.મુલાકાતના અંતિમ તબક્કામાં રાજ્યપાલશ્રી વડાલી ખાતે સંત માતૃશ્રી કુંવરબા વિદ્યાસંકુલ અને સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રાકૃતિક ખેતી મહાસભા’માં ઉપસ્થિત રહેશે. સવારે ૯:૩૦ કલાકે યોજાનારી આ મહાસભામાં તેઓ પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ્સનું નિરીક્ષણ કરશે અને રાજ્યભરના ખેડૂતોને માર્ગદર્શન આપશે.આ પ્રસંગે રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતીના આર્થિક, પર્યાવરણીય અને આરોગ્યલક્ષી લાભો અંગે સંબોધન કરી વધુમાં વધુ ખેડૂતોને ઝેરમુક્ત અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા પ્રેરણા આપશે.
2026-05-31
SABARKANTHA
અપરાધ
અવધ સંગ્રીલામાં ફરી ચોરી: બંધ મકાનમાંથી રૂ. 4.75 લાખની રોકડ તસ્કરો ઉઠાવી ગયા
પલસાણા: બલેશ્વર ગામની અવધ સંગ્રીલા સોસાયટીમાં અગાઉ થયેલી અંદાજે રૂ. 25 લાખની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યાં ફરી એક ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ. 4.75 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, અવધ સંગ્રીલાના રહેવાસી જશવંતલાલ સાહબ પાંડે તા. 19 એપ્રિલે સવારે 10:30 થી બપોરે 3:00 વાગ્યા દરમિયાન ઘર બંધ રાખી બહાર ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમના ઘર નં. 195માં પ્રવેશી ઘરમાં રાખેલી રૂ. 4.75 લાખની રોકડ રકમ ચોરી ગયો હતો.આ અંગે જશવંતલાલ પાંડેએ તા. 30 મેના રોજ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અગાઉ રૂ. 25 લાખની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો ન હોવા છતાં સોસાયટીમાં ફરી ચોરી થતાં રહિશોમાં ચિંતા ફેલાઈ છે. CCTV કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં તસ્કરો સક્રિય બનતા સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે CCTV ફૂટેજ અને અન્ય તકનિકી પુરાવાઓના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
2026-05-31
SURAT
સ્થાનિક
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ નવસારી ની મુલાકાતે
નવસારી ૩૧-૦૫-૨૦૨૬સી.આર. પાટીલ ગુજરાતના નવસારી મતવિસ્તારમાંથી લોકસભા સાંસદ અને હાલમાં મંત્રીમંડળમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આજ રોજ નવસારી ની મુલાકાત લય ચોમાસા પહેલા ખાળી ઓ ની સફાય અને પાણી બચાવવા માટે સરકાર તરફથી થય રહેલ કામો નુ નિરીક્ષણ કરી એ કામો ની માહિતી આપવામા આવી.
2026-05-31
NAVSARI
ધર્મ
તિલકવાડામાં વૈષ્ણવ સમાજનો મનોરથ કાર્યક્રમ યોજાયો
તિલકવાડામાં વૈષ્ણવ સમાજનો ભવ્ય મનોરથ યોજાયોતિલકવાડામાં વૈષ્ણવ સમાજ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તિલકવાડાના મૂળ વતની એવા અનેક વૈષ્ણવો, જે હાલ વિવિધ શહેરો તથા વિવિધ વિસ્તારોમાં નોકરી, વ્યવસાય અને રોજગાર અર્થે વસવાટ કરે છે, તેઓ મોટી સંખ્યામાં પોતાના વતન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.મનોરથ દરમિયાન ઠાકોરજીની વિશેષ સેવા-પૂજા, શૃંગાર દર્શન, ભજન-કીર્તન તથા વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને હરિનામના ગુંજતા સ્વરો સાથે ભક્તોએ ઉત્સાહભેર દર્શનનો લાભ લીધો હતો.આ આયોજન માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતું જ નહીં પરંતુ સમાજના લોકો વચ્ચે પરસ્પર મિલન, એકતા અને સ્નેહભાવને વધુ મજબૂત બનાવવાનો સુંદર અવસર પણ બન્યો હતો. લાંબા સમય બાદ વતનમાં મળવાની તક મળતાં સૌમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો.આયોજકોના સુવ્યવસ્થિત આયોજન અને વૈષ્ણવ સમાજના સહકારથી સંપન્ન થયેલો આ મનોરથ ભક્તિ, સંસ્કાર અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.
2026-05-31
NARMADA
અપરાધ
ધરમપુર પોલીસનું 'તેરા તુજકો અર્પણ' અભિયાન: ખોવાયેલી મૂડી પરત મળતા નાગરિકોના ચહેરા પર સ્મિત
મયુર મોકાશી. ધરમપુર પોલીસ સ્ટેશન દ્વારા માનવતા અને ફરજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાંબા સમયથી ગુમ થયેલા અથવા ચોરી થયેલા કીમતી સામાનને પોલીસે ટેકનોલોજી અને સચોટ તપાસના સહારે શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.શું શું પરત મળ્યું?પોલીસની સતર્કતાને કારણે કુલ રૂ. 1,08,450 ની કિંમતનો મુદ્દામાલ તેના સાચા હકદારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જેમાં નીચે મુજબની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે:મોબાઈલ ફોન: વિવિધ કંપનીના ૮ નંગ (કિંમત રૂ. ૬૬,૦૦૦)મોટરસાયકલ: ૧ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦)પાણીની મોટર: જલગંગા કંપનીની (કિંમત રૂ. ૩૨,૪૫૦)ટેકનોલોજી અને સચોટ તપાસનો સમન્વયઆ સફળ કામગીરી વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરત રેન્જ આઇજીપી શ્રી પ્રેમ વીરસિંહ અને વલસાડ એસપી શ્રી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તથા ધરમપુર પીઆઈ શ્રી એન.ઝેડ. ભોયાના નેતૃત્વમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાસ કરીને CEIR પોર્ટલની મદદ લેવામાં આવી હતી, જેના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ કરી ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી હતી.ASI અશોકભાઈ, ASI પ્રેસિતભાઈ અને તેમની ટીમે સતત મહેનત કરી ગુમ થયેલા મુદ્દામાલના મૂળ માલિકોને શોધી કાઢ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરીથી જનતાનો કાયદા અને પોલીસ તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. નાગરિકોએ પોલીસની આ પહેલને બિરદાવી તેમને સલામ પાઠવી હતી.
2026-05-31
VALSAD
More News