આધાર સર્વર બંધ થતા રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો ને હાલાકી
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
ટેક
આધાર સર્વર બંધ થતા રેશનકાર્ડ ધારકો અને દુકાનદારો ને હાલાકી
આજે તારીખ 22 ને બુધવારે સવાર થી જ આધારકાર્ડના સર્વર માં ટેકનિકલ ખામી સર્જાય હતી જેના લીધે રેશનકાર્ડ માં અનાજ વિતરણ બંધ થઈ ગયું હતું ગુજરાત માં લગભગ 17000 જેટલી સસ્તા અનાજ ની દુકાનો આવેલી છે જેમાં ગ્રાહકો ની લાઈનો લાગી હતી સવાર થી સર્વર બંધ રહ્યું હતું જે બપોરે 12 વાગ્યા આસપાસ ફરી કાર્યરત થયું હતું રેશનકાર્ડધારકો પોતાના કામધંધા માંથી સમય કાઢી બપોર સુધી રાહ જોઈ રહ્યાં હતાં જોકે બપોરે રાબેતા મુજબ ફરી વિતરણ શરૂ થઈ ગયું હતુંઓલ ગુજરાતફેરપ્રાઈઝસોપ એસોસિએશન ના પ્રમુખ રાજેન્દ્રસિંહએ nic માં રજૂઆત કરીને પડતી મુશ્કેલીઓ થી અવગત કર્યા બાદ ટેક્નિકલ ટીમ દ્વારા સોલ્યુશન કરવામાં આવ્યું હતું